રિઝર્વ બેન્ક રેપોરેટમાં 5 ટકાનો વધારો કરશે તેવો મત વ્યકત કરાયો

Business
Business

ફુગાવામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખતા આવતા સપ્તાહની બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મુખ્ય વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો સાધારણ વધારો કરશે તેવી શકયતા જોવા મળી રહી છે.જેમાં અન્ય કેન્દ્રીય બેન્કોની જેમ આરબીઆઈ વર્તમાન વર્ષમાં એકવાર વ્યાજદરમાં વધારો કર્યા બાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન તેમાં સ્થિરતા રાખશે તેવી માનવામાં આવી રહ્યું છે.આમ રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં વ્યાજદર 25 બેઝિસ પોઈન્ટ વધારી 6.50 ટકા સુધી લઈ જશે તેવો મત વ્યકત કર્યો હતો.આમ 2022માં વ્યાજદરમાં કરવામા આવેલા વધારાની દેશના અર્થતંત્ર તેમજ ફુગાવા પર શું અસર પડી છે તેનો અંદાજ મેળવવા વ્યાજદરમાં એક તબક્કે સ્થિરતા લાવવી જરૂરી રહી છે.ત્યારે ડિસેમ્બરનો ફુગાવો ઘટી 5.72 ટકા રહ્યો હતો,જ્યારે નાણાંકીય વર્ષ 2023-24માં ફુગાવો સરેરાશ 5 ટકા રહેવાનો અંદાજ જોવા મળી રહ્યો છે.ત્યારે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક આગામી 6 ફેબુ્આરીથી 8 દરમિયાન મળનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.