સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી પાંચ ટકા કરવા ભલામણ કરાઇ
દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષના અમલના ત્રણ વર્ષ પછી વેરાના માળખામાં ધરખમ ફેરફારની તૈયારીના ભાગરૂપે આગામી જુલાઈથી નવા દર અને નવા સ્લેબ લાગુ થઈ જશે તેવા સંકેત છે. ગઈકાલે કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડીને ટેકસટાઈલ અને ફુટવેર સહિત 52 નવા ઉંચા સ્લેબ લાગુ કરી દીધા છે જે આગામી 1 જાન્યુઆરીથી અમલમાં આવી જશે. પરંતુ નાણામંત્રાલય સાથે સંકળાયેલી કમીટીએ જીએસટીના જે 5 ટકાનો સ્લેબ છે તે વધારીને 7 ટકા કરવા અને 18 ટકાનો સ્લેબ વધારીને 20 ટકા કરવા ભલામણ કરી છે જ્યારે 12 ટકા અને 18 ટકા વચ્ચે 17 ટકાનો એક સ્લેબ રાખવાની વૈકલ્પિક દરખાસ્ત છે. આ સિવાય સોના સહિતની ધાતુ પરનો જીએસટી 3 ટકાથી વધારીને 5 ટકા કરવા દરખાસ્ત છે. જેના કારણે સોના,ચાંદી તથા પ્લેટીનમ મોંઘા થશે.