ATMમાંથી પૈસા વિડ્રો ન થતાં હોવા છતાં લાગતા ચાર્જને હટાવવા માગ
જો ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ આ ભલામણ માની લીધી તો ઝડપથી ATMમાંથી પૈસા ન કાઢવાની સ્થિતિમાં લાગતો ચાર્જ હટી શકે છે. ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિયેશને રિઝર્વ બેન્ક પાસે આ પ્રકારની માગ કરી છે. તેણે કહ્યું છે કે ડેબિટ કાર્ડ દ્વારા ATMમથી લાગતા ટ્રાન્ઝેક્શન ડિકલાઈન ચાર્જને હટાવવામાં આવે.
આ એસોસિયેશને રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ સાથે પોલીસે પહેલાં થનારી બેઠકમાં આ પ્રકારની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી નિયમ મુજબ જો તમે કોઈ બેન્કના ATMમાંથી પૈસા કાઢ્યા અને જો એ સમયે કોઈ કારણસર તમને પૈસા ન મળ્યા તો તો એની પર ચાર્જ લાગે છે. જોકે આ ચાર્જ ATMમાંથી પૈસા વિડ્રો કરવાની સીમા પૂરી થયા બાદ જ લાગે છે.
આ પ્રકારના ડિકલાઈન ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા અને તેની પર વસ્તુ અને સેવા કર(GST)નો ચાર્જ લાગે છે, એટલે કે બેન્ક તેની પર કમાણી કરી રહી છે, કારણ કે તે GST આપી રહી છે. GST કમાણી પર લાગતો ટેક્સ છે. બેન્કિંગ ભાષામાં તેને ડિજિટલ ચેક બાઉન્સ કહેવામાં આવે છે, એટલે કે તમારો ચેક કોઈપણ કારણસર બાઉન્સ થાય છે તો તમારે 200થી 500 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે. ડિજિટલ રીતે ATMમાંથી પણ જો તમારા પૈસા ન નીકળે તો તમારું ટ્રાન્ઝેક્શન થયું છે તેમ બેન્ક માને છે.
એસોસિયેશને રિઝર્વ બેન્કને કહ્યું છે કે આ પ્રકારનો ચાર્જ યોગ્ય નથી. આ કારણે ડિજિટલ થવાની જગ્યાએ લોકો ડિજિટલથી દૂર થઈ રહ્યા છે. જોકે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એવા હોય છે, જેમના ખાતામાં બેલેન્સ હોતું નથી છતાં પણ તેઓ એટીએમમાંથી પૈસા વિડ્રો કરવાની કોશિસ કરે છે. એસોસિયેશને કહ્યું છે કે આ ચાર્જ સંપૂર્ણ રીતે ખોટો છો.