આગામી સમયમાં ક્રેડીટ કાર્ડથી યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે
આગામી સમયથી ક્રેડીટ કાર્ડથી યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમથી પેમેન્ટ કરી શકશો.જેમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ રસ્તો સરળ કર્યો છે. જેઓએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટીવલમા રૂપે ક્રેડીટ કાર્ડને યુપીઆઈ નેટવર્ક પર લોન્ચ કર્યુ હતું.ક્રેડીટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરવામાં આવશે.આમ વર્તમાનમાં પંજાબ નેશનલ બેન્ક,યુનીયન બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેન્ક આ સુવિધા આપશે.જેમાં યુપીઆઈથી ક્રેડીટ કાર્ડ લિંક પેમેન્ટ કરવા માટે કોઈ પ્રકારનો એમડીઆર વસુલ નહીં કરાય.આ બાબતમાં પંજાબ નેશનલ બેન્કના એમડી અને સીઈઓ અતુલકુમાર ગોયલે જણાવ્યું હતું કે તેનો એક નાનકડો ઈન્ટર ચેન્જ ચાર્જ વસુલ કરાશે.