આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ : અંબાજી મંદિર સુનુ પડયું
શ્રધ્ધાળુઓ શક્તિદ્વાર આગળ હાઇવે પરથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં
(રખેવાળ ન્યૂઝ)અંબાજી, આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અંબાજી ઉમટી પડતાં હોય છે ત્યારે અંબાજી પહોંચેલાં શ્રધ્ધાળુંઓ મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા. જ્યાં એક તરફ વાહન વ્યવહારની અવર-જવર અને બીજી શ્રદ્ધાળુંઓની ભીડ જાેવા મળી હતી.
અંબાજી મંદિર બંધ રહેતાં સમગ્ર મંદિર પરીસરની લાઇનો ખાલીખમ અને સુમસામ જાેવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જાેવા મળી રહ્યો છે. એટલુજ નહી રવિવારની રજા હોવાથી હજારોની સંખ્યામાં અંબાજી ખાતે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીનંુ મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવાયો હતો.મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જાેવા મળી રહી છે.
મંદિર શોપીંગમાં આવેલી પ્રસાદ પુજાપા સહીતની વિવિધ વેપાર ધંધાવાળા ૭૫ થી ૮૦ જેટલા દુકાનદારોએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે. મંદિરમાં કોઇ જ યાત્રીકોને પ્રવેશ ન અપાતા આ દુકાનદારોને પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે. જાેકે મંદિર બંધ રહેતાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા તો બંધ કર્યા છે. પણ ક્યાંક નિરાશા પણ જાેવા મળી રહી છે. સાથેઆજે પણ શ્રદ્ધાળુંઓ પગપાળા ચાલી માતાજીનો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે અને અંબાજીનાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજી રહ્યા છે.
ત્યારે યાત્રાધામ અંબાજીનું મુખ્ય મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુંઝવણમાં મુકાયા છે. હાલ બાધા માનતા કરવાં જતા પદયાત્રીઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે. ખાસ કરીને પુનમ ભરનારા સાથે પોષીપુનમે માતાજીનો જન્મદિવસ મનાવવાં અંબાજી પહોંચી રહેલાં યાત્રીકો પણ જણાવી રહ્યા છે.
પ્રસાદ માટે મંદિરની બહાર કાઉન્ટર શરૂ કરાયાં
રવિવાર અને પુનમને લઇ શ્રદ્ધાળુંઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ હોય પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આવા સમય અંબાજી પહોંચતાં યાત્રીકોને પ્રસાદ મળી રહે તેના માટેનાં કાઉન્ટર પણ શરૂ કરાયાં છે. જ્યાં યાત્રીકો પણ પ્રસાદ લેતાં નજરે પડ્યાં હતા.તો વેપાર ઓછો થતા વેપારીઓ દુકાન આગળજ ક્ર્રિકેટ રમી રહ્યા હતા તો ચોક મંદિરના પ્રતિકૃતી વાલી રંગોળી ભરેલી નજરે પડી હતી