રવિયાણા ચેખલા વચ્ચે પાકો રોડ બનાવવાની ગ્રામજનોની વર્ષો જૂની માંગ યથાવત
રખેવાળ ન્યુઝ રવિયાણા : કાંકરેજ તાલુકાના રવિયાણા તેમજ ચેખલા ગામને જાેડતો કાચો રસ્તો હાલમાં આવનજાવન માટે મુશ્કેલ હોઈ સરકાર દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ઘણા માર્ગ મંજુર કરેલ છે તેવીજ રીતે આ માર્ગને પણ પ્રધાનમંત્રી સડક યોજનામાં સમાવેશ કરી લોકોની સવલતમાં વધારો કરે તેવી જનતાની લાગણી છે. આ કાચા રસ્તામાં ચેખલાની ભીલડીયાવાસ પ્રા શાળા આવેલી છે તેમજ રવિયાણા પ્રા શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ચોમાસામાં કાદવકીચડમાંથી પ્રસાર થઇ આવવું પડે છે. માજી મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલના વખતથી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ તેમજ ગઈસાલે માજી મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પણ રજુઆત કરેલ છે. ત્યારે તાલુકા ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા અંગત રસ લઈ આ બંન્ને ગામોના લાગણી અને માંગણી સંતોષે તે ઈચ્છનીય છે.