સરકાર સામે જ સરકારી કર્મચારીઓએ મોરચો માંડ્યો
જુની પેંશન યોજના સહિતની પડતર માગણીઓને લઈને આજે સયુંકત કર્મચારી મોરચાના ઉપક્રમે પાલનપુર ખાતે વિવિધ ખાતામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માગણીઓ નહિ સંતોષાય તો જ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરહદી બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે પોતાની પડતર માગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી હતી. ૩૨ જેટલા સરકારી સંગઠ- નોના સમર્થન સાથે સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ પાલનપુરના જહાંઆરા બાગ પાસેથી મહારેલી યોજાઇ હતી. વિવિધ બેનરો અને માગણીઓના
સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે નીકળેલી મહારેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં સરકારી કર્મીઓના ભારે શોરબકોર વચ્ચે અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. જ્યાં તેઓએ ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવાની માંગ કરી હતી. જેમાં માગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેવું સયુંકત
કર્મચારી મોરચાના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું.જાેકે, સરકારી કર્મચારીઓની આ રેલીને મહેસુલ વિભાગે આપેલો ટેકો પરત ખેચી લીધો હતો. જ્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે અલગ રેલી કાઢી હતી. આમ, સરકારી કર્મચારીઓની રેલીને લઈને બે ભાગ પડી ગયા હતા. જાેકે, મહારેલીમાં ઉમટેલા માનવ મહેરામણ ને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો વળી કલેકટર કચેરી પણ નારાથી ગુંજી ઉઠી હતી.
અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામશે આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા, બનાસકાંઠાના પ્રમુખ સંજયભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજે સમગ્ર રાજ્યમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ૨૫ હજાર કરતા વધુ કર્મચારીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે ઉમેર્યુ કે, જુની પેન્શન યોજના સહિત કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે.