પદયાત્રીઓ અને સંઘો આવી પહોંચ્યા બાદ સરકારે અંબાજીનો મેળો રદ કર્યો
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આ વખતે પણ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમનો મેળો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અંબાજી મંદિરને લેખિત પરિપત્ર દ્વારા તા.રપ સપ્ટેમ્બર સુધી મેળો બંધ રાખવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પગપાળા સંઘોને પણ મંજુરી નહીં આપવા સુચન કર્યુ છે. જેને બાધા આખડી હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવા સુચના અપાઈ છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભારે અવઢવમાં મુકાયો છે. શરૂઆતમાં મેળાને લઈ કોઈ પણ જાતની જાહેરાત ન થતા અનેક સંઘો અસમંજસતા વચ્ચે પોતાની પદયાત્રા પૂર્ણ કરી હતી અને તેમાં પણ ખાસ કરીને જે પદયાત્રીઓ અંબાજી આવે છે તે મહત્તમ ખાસ કરીને પોતાની બધા આંખડી પુરી કરવા આવતા હોય છે ત્યાર બાદ ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને મેળો બંધ રાખવા માટેની જાણ કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને પગપાળા સંઘોને મંજૂરી ન આપવા સૂચન કરાયું હતું. આ પરિપત્રમાં ખાસ કરીને જે શ્રદ્ધાળુઓ પોતે બાધા-આખડી કે માનતા રાખી હોય તેવા ને મંદિર માં દર્શન માટે પ્રવેશ આપવાની પણ નોંધ કરવામાં આવી છે. જાેકે હાલ માં અંબાજી ખાતે ભાદરવી પૂનમને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખુબ ઓછી માત્રામાં યાત્રિકો જાેવા મળી રહ્યા છે અને તેમાં પણ જેઓ એ બાધા માનતા રાખેલી હોય તેવા શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે ધજા ચઢાવી પોતાની માનતા પુરી કરી રહ્યા છે તેવાજ નડિયાદના કેટલાક શ્રદ્ધાળુઓ જેમાં પોતે ટ્રેકટર ખરીદવાની બાધા હોય કે પછી સંતાન પ્રાપ્તિ ની બધા હોય તેવી માનતા પૂર્ણ કરવા અંબાજી મંદિરે દર્શાનર્થે જાેવા મળ્યા હતા. જેમાં અંબાજી આવેલા નડિયાદના એક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે પોતાને ખેતીવાડી માટે ટ્રેકટર વસાવવાની બાધા રાખી હતી અને તેને પોતાની ટ્રેકટર આવી જતા બાધા પુરી કરવા આજે અંબાજી પહોંચ્યા હતા તેવાજ એક શ્રદ્ધાળુઓને સાત દીકરી ઉપર દીકરો અવતરતા
પોતે ૫૨ ગજની ધજા લઈ અંબાજી પહોંચી પોતાની બાધા પુરી કરી હતી.જાેકે, અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જાેવા મળી રહ્યા છે.