થરાદમાં બાલપંકજ મુનીની અગ્નિ તપશ્ચર્યાનો વિજયમુહર્તમાં પ્રારંભ થયો
કોરોના મહામારીને સમાપ્ત કરવા તથા આવા કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમને મોક્ષની પ્રાપ્તિ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવા ભાવથી પુજ્ય પંકજ મુનીબાબા થરાદના બળીયા હનુમાન મંદિર ખાતે અગ્નિ તપસ્યા કરી રહ્યા છે તેમ બળીયા હનુમાન મંદિરના પુજારી મોન્ટુ મહારાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બળિયા હનુમાનના આદ્યસ્થાપક સ્વર્ગીય અશોક મહારાજની ૧૨ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. થરાદમાં સોમવારે બપોરે ૧૨ઃ૩૯ ના વિજય ના વિજય મુહૂર્તે કાલી ઘોડીના સંત પંકજ મુનિએ સળગતા છાણાંની વચ્ચે બિરાજીને આસન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં તેમના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.