ભાદરવી પૂનમના મહામેળાના પગલે સમગ્ર અંબાજી શહેરને સજાવાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી શક્તિપીઠમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાત દિવસ દરમિયાન 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમના મેળાના પગલે અંબાજી નગરને સજાવવામાં આવ્યુ છે. અંબાજીમાં મેળાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.ભાદરવી પૂનમના મેળાના પગલે અંબાજી નગરને સજાવવામાં આવ્યુ છે. અંબાજીમાં મેળાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.અંબાજી ધામને લાઈટિંગ કરીને સજાવવામાં આવ્યુ છે. અંબાજી મંદિર પણ લાઇટિંગથી જગમગી ઉઠ્યુ છે.


એક તરફ વરસાદની આગાહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વોટર પ્રુફ સમીયાણા બનાવવામાં આવ્યા છે.અંબાજી નગરમાં શક્તિ ચોક ઉપર કમલના ફૂલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રિકોની સેવામાં તત્પર રહેવા નગરજનો આતુર જોવા મળી રહ્યા છે.અંબાજી નગરમાં શક્તિ ચોક ઉપર કમલના ફૂલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રિકોની સેવામાં તત્પર રહેવા નગરજનો આતુર જોવા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.