ઓગડપુરા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર તાલુકાના ઓગપુરા પાસે નર્મદા કેનાલમાંથી તા.૧ર/૧/ર૦ર૧ ના રોજ દુગરાસણ ગામની પરણિતા પૂજા ઠાકોરની લાશ મળી આવેલ. જેમાં પોલીસે તપાસ દરમિયાન પુજા ઠાકોરની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે આ બાબતે કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોરની અટકાયત કરી હતી. જેમાં પુછપરછ કરતાં મૃતક પૂજા ઠાકોર સાથે આરોપી મહેન્દ્ર ઠાકોર વચ્ચે પ્રેમપ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતાં સમગ્ર હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. આરોપી મહેન્દ્રજી ઠાકોર એ દુગરાસણથી પુજા ઠાકોરને મળવા માટે થરા બલાવી હતી. ત્યાંથી બંન્ને જણ બાઈક પર ઓગપુરા થળી આવ્યા હતા. જેમાં બંન્ને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી મહેન્દ્ર ઠાકોર પાસે વાતચીત કરવા મોબાઈલની માગણી કરી હતી. જેમાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પૂજા ઠાકોરને ગળે ટુંપો દઈ હત્યા કરી હતી. અને લાશને ત્યાં મુકી તેરવાડા આવી ગયેલ. અને તના કાકાના દીકરા જેણાજી ઠાકોરને બોલાવી પોલીસ થી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો. બંન્ને જણે મોડી રાત્રે મુતકની લાશને કોથળામા ભરી અંદર પત્થરો ભરી વાયરથી વીંટી કેનાલમાં નાખી દીધી હતી. આ કેસમાં પોલીસે બંન્ને આરોપીની અટકાયત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.