ડીસાના વાસણા ગોળીયા ગામના નિવૃત્ત શિક્ષકના મૃતદેહનું બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું
મારા મૃત્યુ પછી મૃતદેહને મેડિકલ કોલેજમાં દાન કરજો એવી ઈચ્છા વ્યક્ત કરનાર 84 વર્ષીય નિવૃત્ત શિક્ષકનું નિધન થતા પરિવારજનોએ પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં મૃતદેહ દાન કરી બોલેલા કોલ નિભાવ્યા હતા. ડીસા તાલુકાના વાસણા ગોળીયાના 84 વર્ષિય નિવૃત શિક્ષકનું નિધન થયું હતું. તેમના પરિવારજનોએ મૃતદેહને બનાસ મેડિકલ કોલેજમાં દાન કરી બોલેલા કોલ નિભાવ્યા હતા. વાસણા ગોળીયા ગામના આગેવાન તેમજ શિક્ષક રણછોડજી તલસાજી સોલંકી (માળી)એ ફરજ દરમિયાન ખૂબ જ આગવી ઓળખ ઊભી કરી હતી.
તેમણે પોતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહની બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઓગસ્ટ માસમાં તેમણે બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કરવા માટે કહ્યું હતું જેમનું સોમવારે મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ મૃતદેહનુંં બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું હતું.