થરાદની નર્મદા નહેરમાંથી વાવના યુવકનો મૃતદેહ મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
બનાસકાંઠાના સરહદી થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં શુક્રવારની સાંજે વાવના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જેનો મૃતદેહ શનિવારે શોધખોળ બાદ બહાર કાઢીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ બનાવને લઇને થરાદ વાવ પંથકમાં અરેરાટી પ્રસરવા પામી હતી.
થરાદ-વાવ હાઇવે પરથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં દૂધ શીત કેન્દ્ર પાસે શુક્રવારે સાંજે વાવ તાલુકાના એક યુવકે મોતની છલાંગ લગાવી દીધી હતી. હતી. આ બનાવ અંગે થરાદ નગર પાલિકાના તરવૈયા સુલતાનમીરને જાણ કરાતા ફાયર ટીમ સાથે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને શનિવારે સવારે વ્યાપક શોધખોળ હાથ ધરી નહેરમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો.
જેની ઓળખાણ વાવના વસનાભાઈ માનસેંગભાઈ ઓડ ઉં.વ.આશરે ૩૫ અને ચાર બાળકોનો પિતા હોવાની થવા પામી હતી. આ બનાવને લઇને થરાદ વાવ પંથકમાં અરેરાટી પ્રસરવા પામી હતી. યુવકના મોતના કારણે લઈને અનેક તર્ક-વિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.