પાલનપુરમાં સગીરનો આપઘાત, બુટલેગર દ્વારા કિશોરને માર મારી હત્યા કરાઈ હોવાના આક્ષેપો..
પાલનપુરના ડોકટર હાઉસ વિસ્તારમાં થી વિક્રમ દંતાણી નામના ૧૬ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જાેકે, આ યુવકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો તેના પરિવારજનોએ કરી રહ્યા છે. ગતરાત્રે દારૂ વેંચતા બુટલેગર સહિત ત્રણ લોકોએ આ કિશોરને માર માર્યો હતો. ત્યારબાદ તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સગીર યુવકની બુટલેગર દ્વારા હત્યા કરાઈ હોવાના આક્ષેપો મૃતકના સંબંધી અંબાલાલે કર્યા હતા.આ સગીર યુવકને વચ્ચે છોડાવવા પડેલા લોકોને પણ બુટલેગરે છાપરાં સળગાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો શીતલબેનએ કર્યા હતા. હપ્તાના હડમાલામાં વ્યસ્ત પોલીસની રહેમનજર તળે બુટલેગર દંપતીની દાદાગીરી વધી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરી છે.દરમિયાન, પોતાના દીયરના દીકરા વિક્રમ દંતાણીને મારી દીકરી સામે કેમ જાેવે છે? તેવું કહી નરેશભાઈ પરથી ભાઈ પટણી, રેખાબેન નરેશભાઈ પટણી, વિશાલ નરેશભાઈ પટણી અને કલ્પેશભાઈ નરેશભાઈ પટણી (તમામ રહે. ડોકટર હાઉસ, પાલનપુર)એ થાપ મારી ધમકાવતા આજ પછી મોઢું બતાવતો નહિ તેવું કહેતા મૃતકને લાગી આવતા તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી મૃતકને આપઘાત કરવાની દુષપ્રેરણ આપવા બદલ નાથીબેન દિનેશભાઇ દંતાણીની ફરિયાદના આધારે પોલીસે ૪ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.