થરાદના ડેલમાં વિજળી પડતાં ગાયનું મોત
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકા પંચાયતના સર્કલ સંજયભાઇ નાયીએ જણાવ્યું હતું કે ગુરુવારની સાંજના સુમારે થરાદના ડેલ ગામમાં વિજળી ત્રાટકી હતી. જેના કારણે ગામના અનુસુચિત જાતીના ખેડુત મદરૂપભાઈ શંકરભાઇના રહેણાંકે બાંધેલી એક ગાયનું મોત થવા પામ્યું હતું. આ અંગે તાલુકાપંચાયત દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બનાવને લઇને અરેરાટી મચવા પામી હતી.