આગામી દિવસોમાં નગરપાલિકાની ટીમ બનાવી ભૂતિયા કનેકશન શોધી કાઢવામાં આવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર નગરપલિકા વિસ્તારમાં રહેતા હોય અને પાલિકામાં પાણીનો વેરો ભર્યા વગર નળ કનેકશન લીધેલુ હશે તેવા રહીશો સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવનાર છે.
પાલનપુર શહેરમાં લોકોને પીવાના તેમજ ઘર વપરાશ માટે પાણીની તકલીફ ન પડે તે માટે પાલિકા દ્વારા પાલિકામાં વેરો ભરનાર વ્યક્તિઓને નળ કનેકશન આપવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો દ્વારા પાલિકામાં પાણી વેરો ર્ભયા વગર પાણીના કનેકશનનું જોડાણ કરી દેવામાં આવ્યું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં પાલિકાના અધિકારીની મંજુરી લીધા બાદ એક ટીમ બનાવી પાલનપુર પાલિકા વિસ્તારમાં પાલિકાની મંજુરી વગર પાણીનું કનેક્સન લેનાર રહીશો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.