પાલનપુર એસ.ટી કચેરી દ્વારા અંબાજી મેળામાં 300થી વધુ બસો દોડાવાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ આગામી તા.5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે.જે મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવવાની સંભાવનાને લઇ માઇભક્તો સસ્તી અને સલામતભરી સવારી કરી શકે તે માટે પાલનપુર એસ.ટી વિભાગીય કચેરી દ્વારા મેળામાં 300થી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ શક્તિપીઠ અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાના કારણે બે વર્ષ બંધ રહ્યો હતો.ત્યારે આ મેળામાં મા અંબાના દર્શન કરવા પદયાત્રીઓ દુર દુરથી આવતા હોય છે.ત્યારે આ યાત્રીઓને પરત જવામાં સરળતા રહે તે માટે એસ.ટી નિગમ દ્વારા બસો મૂકવામાં આવી રહી છે.આમ ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર વિભાગીય એસ.ટી કચેરીની તાબામાં આવતા પાલનપુર,ડીસા,દિયોદર, થરાદ,અંબાજી,રાધનપુર અને સિદ્ધપુર સહિત સાત ડેપોમાંથી 300થી વધુ રૂટની બસો દોડાવવામાં આવશે.