કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાત: સમયે જે ડુંગળી-બટાટાના ભાવ નહોતા મળતા. તે ડુંગળી બટાટાના ભાવ આજે આસમાને પહોંચ્યા છે અને ગૃહિણીઓના બજેટ પર સીધી અસર થઈ રહી છે. ગરીબોના ઘરના કાયમી નીનાસી એવા બટાટા-ડુંગળીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. હિમતનગરમાં ૫૦ રૂપિયાના અઢી કિલો બટાટા મળતા હતા. જો કે બે દિવસમાં જ આ ભાવ હવે ૯૦ રૂપિયે પહોચી ગયો છે. એક કિલોના ૪૦ રૂપિયે બટાટા વેચાઈ રહયા છે. વેપારીઓના મતે બજારમાં બટાટા-ડુંગળીની કૃત્રિમ અછત ઉભી કરાઈ છે અને એના કારણે આ ભાવ વધ્યા છે. બાકી કોલ્ડ સ્ટોરેજમાં બટાટા જથ્થાબંધ પડ્યા છે. ગરીબોના ઘરમાં પાપણ આસાનીથી સુલભ એવા ડુંગળી બટાટા હવે ગરીબોના ઘરમાં દેખ્યા જડતા નથી. ત્યારે સરકારે કાળા બજારીયા કરનારાઓને તાકીદે રોકાય તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.