સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચલાવી લેવાય નહી : હાઇકોર્ટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને ચુકને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ગેરરીતિના આરોપીઓને જામીન આપવા બાબતે અને અન્ય કેટલીક ટકોર પણ કરી છે. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી અને લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છેહાઈકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ૨૦૧૪માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર સામે આવી છે. કેસમાં સંડોવાયેલા અને ૮ વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન સમયે કોર્ટે ટકોર કરી છે.

અત્રે જણાવીએ કે, સંબધિત કેસમાં કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કર્યો છે. અત્રે જણાવીએ કે, જયારે કોઈ વિદ્યાર્થી કે વ્યકિત સ્પર્ધાત્મક પરીક્ષા આપે ત્યારે તે કંઈ કેટલાય સપના જાેઈ લેતો હોય છે. સારી સારી સરકારી નોકરીઓની કલ્પના કરી લેતો હોય છે પરંતુ એજ સપના ત્યારે ચકનાચૂર થાય જયારે ષડયંત્રકારોની ચાલાકીના લીધે પેપર ફૂટી જાય અને પરીક્ષા રદ થઈ જાય છે. પછી તો સ્વભાવિક છે કે ફરી પરીક્ષા લેવાય એમા પછી કોઈ કારણોસર ભરતીપ્રક્રિયા અટકે અને એવી અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજજવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.