થરાદના માર્ગો પરથી નવ મહાકાય ઓબજરવર પસાર થશે : પાંચ કલાકનો વિજકાપ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાંથી થોડા સમય પહેલાં બે રિએક્ટર પસાર કરાયા બાદ આ વખતે એક બે નહી પણ પુરાં નવ ઓબજરવર પસાર કરાવવામાં આવનાર છે. જેને લઇને રવિવારે બપોરે એક વાગ્યા સુધી નગરમાં વિજકાપની પણ વિજકંપની દ્વારા જાણ કરવામાં આવી છે.થરાદ વાવના રાષ્ટ્રીયધોરી માર્ગ પરથી મુંદ્રા પોર્ટથી આવીને રાજસ્થાનમાં પચપદ્રા કેંદ્ર સરકારની રિફાઇનરી સુધી લઇ જવા માટે થરાદ શહેરમાંથી અગાઉ વેસલ્સ અને રિએક્ટર જેવાં સાધનોને લઇ જવામાં આવ્યાં હતાં.આ વખતે એક બે નહી પણ એક સાથે નવ ઓબજરવર પસાર કરાવવામાં આવી રહ્યાં છે.જ્યારે થરાદની નર્મદા કેનાલ પાસેથી બુઢણપુર સુધીની રસ્તામાંથી પસાર થતી તમામ વિજલાઇનો કાપીને આ ઓબજરવર પસાર કરાવનાર હોવાના કારણે વિજકંપની દ્વારા સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમન કરાવીને વાહનોને પસાર કરાવવામાં આવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.