પાલનપુર ખાતે આવેલ સરકારી આદિજાતિ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનના ફાંફા
પાલનપુરમાં આવેલી સરકારી આદિ જાતિ કુમાર છાત્રાલયમાં ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ દિવસથી પોતાની જાતે જ ભોજનની વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી હોઇ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ દ્વારા છાત્રાલયમાં ભોજનની વ્યવસ્થા કરવાની માંગ સાથે તકેદારી કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી. પાલનપુરના આકેસણ રોડ પર આવેલી સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયમાં રહીને વિવિધ શાળા કોલેજમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાત મંદ પરીવાર ના વિદ્યાર્થીઓ કોલેજાે શરૂ થતાં જ અભ્યાસ માટે સરકારી છાત્રાલયમાં આવી ગયા છે. પરંતુ છાત્રાલયના ગૃહપતિ દ્રારા આ વિદ્યાર્થી ઓ માટે ભોજન ની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા ગરીબ વિદ્યાર્થીઓ ને પોતાની જાતે ભોજન વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે. જાેકે, ભોજન અંગે ગૃહપતિને રજુઆત કરવામાં આવતા ગૃહપતિએ વિદ્યાર્થીઓ હજુ વધુ દિવસ જાતે જ ભોજનની વ્યવસ્થા કરવાનો ઉડાવ જવાબ આપતા છેલ્લા ત્રણ દિવસથી પોતાની જાતે જમવાની વ્યવસ્થા કરતા વિદ્યાર્થીઓ દ્રારા છાત્રાલયમાં ભોજન ની વ્યવસ્થા ચાલુ કરવા તકેદારી કચેરીમાં રજુઆત કરવામાં આવી આવી હતી.