લાખણી સામુહીક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક હેમોડાયાલીસીસ સેન્ટરનો શુભારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશના લોકો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે તા. ૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવાર રોજ સામૂહિક આરોગ્ય લાખણી ખાતે જીડીપી સંચાલિત તથા આઈકેડીઆરસી દ્વારા હેમોડાયાલયસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અહી નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કિડનીના દર્દીઓને હેમોડાયાલયસીસની સારવારનો લાભ મળશે. હવે તેમને હેમોડાયાલયસિસ માટે અમદાવાદ કે મહેસાણા જવું પડશે નહિ .સેન્ટરના શુંભારભ પ્રસગે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધીક્ષક ડો. ભરતસિંહ વાઘેલા દ્વારા હેમોડાયાલયસિસ માટે આવેલ દર્દીની જરૂરી તપાસ કરી દર્દીનું હેમોડાયાલયસિસ પણ કરવામાં આવેલ. સેન્ટરના શુંભારભ પ્રસગે ડો. સાક્ષી શર્મા, ડો. રાજેન્દ્ર ચૌધરી તેમજ ડૉ. રૌફ પરસાની તથા ઇન્ચાર્જ ટેકનીશ્યન શુંભમ દવે, હિતેશભાઈ પટેલ તથા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેલ.આ સુવિધાથી દર્દીઓને ડાયાલિસીસની સારવારનો ઘર આંગણે લાભ મળશે .જેથી લાખણીવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.