વડગામ માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેન અને સહકારી અગ્રણી વચ્ચે જંગ જામશ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંદાજે વાર્ષિક ૭૦ કરોડનું ટર્નઓવર કરતી વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના ૧૬ સંચાલક મંડળના ડિરેક્ટરોની ચૂંટણી યોજવા તારીખ ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૨ નક્કી થતાં ભરચોમાસે વડગામ તાલુકાના સહકારી રાજકારણની ગતિવિધિઓ તેજ બની છે. દરમિયાન વર્તમાન ચેરમેન કે.પી. ચૌધરીની સામે સહકારી અગ્રણી રામજીભાઈ બેરા (ચિત્રોડા) એ માર્કેટયાર્ડની ચૂંટણી જંગમાં ઝંપલાવવાની ઈચ્છા દર્શાવતાં તાલુકાના સહકારી રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂત વિભાગના ૧૦ ડિરેક્ટરોમાટે ૧૧૮૬ મતદારો અને વેપારી વિભાગના ૪ ડિરેક્ટરો માટે ૯૬ મતદારો જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળીઓના ૨ ડિરેક્ટરોમાટે ૯૯ મતદારો મતદાન કરવાના છે. આ અંગે સત્તાવાર જાહેરનામુંપ્રસિદ્ધ થશે ત્યારે માર્કેટયાર્ડનીચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે,પણ સહકારી અગ્રણીની  વેદારીથી અત્યારથી જ દિલધડક ચૂંટણીનામંડાણ થયા હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.