કડકડતી ઠંડીમાં સાધુઓએ ગૌમુખ કુંડમાં ડુબકી લગાવી
મકરસંક્રાંતિ નિમિતે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરાનો પ્રારંભ કર્યો છે જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહીત જુનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે ને સંક્રાંતિનો સ્નાન જે શાહી સ્નાન જેવી પરંપરા હવે અંબાજીમાં પણ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત પ્રાંત સહીત આજુબાજુના વિસ્તારો માંથી અનેક સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા અને માનસરોવર પાસે ભોળા ગીરી મહારાજની ધૂણીએ થી શાહી સવારી નીકળવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગરયાત્રા કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોચી હતી જ્યાં ગૌમુખ કુંડ વિસ્તાર સંતો મહંતો દ્વારા હર હર મહાદેવ ના નાદ થી ઘુંજી ઉઠ્યું હતું જ્યાં સર્વ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌ મુખ કુંડમાં પૂજન અર્ચન સાથેનું શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યાર બાદ તમામ સાધુ ઓ ગૌમુખ કુંડમાં કડાકાની ઠંડીમાં પણ શાહી સ્નાનની ડુપકી લગાવી હતી.
આ પ્રસંગે અંબાજીમાં સર્વ પ્રથમ નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતોની અનોખી મોજ જાેવા મળી હતી અને નાચગાન કરતા તમામ સંતો કોટેશ્વર પહોચ્યા હતા અને આજે સર્વ પ્રથમ વખત જે રીતે શાહી સ્નાન કર્યું હતું તેની પરંપરા હવે આવનારા સમય માં નિયમિત પણે મકરસંક્રાંતિ ના દિવસે કોટેશ્વર ગોંમુખ કુંડ ખાતે મીનીકુંભ સ્વરુપે આ પ્રકારના શાહી સ્નાનનું આયોજન કરવામાં આવશે તેમ આયોજન કરતા મહંત વિજયપૂરી મહારાજએ જણાવ્યું હતું.