
બનાસકાંઠામાં વાતાવરણમાં પલટાની સાથે ૧૮ કીમીની ઝડપે પવન ફૂંકાયો
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના ઉત્તરાર્ધ વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. બુધવારની સાંજથી ડીસા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નું ઝાપટુ પડ્યું હતું ત્યારે ગુરુવારે જીલ્લામાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી દિવસ ભર ૧૮ કીમી કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાતા સરહદી વિસ્તાર વંટોળની ચપેટમાં આવી જતા વાતાવરણ માં દૂર દૂર સુધી માત્ર ધુળ જ દેખાતી હતી જેના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. ભારે પવનના કારણે રણ વિસ્તારમાંથી આકાશમાં ચડેલી ધુળના કારણે વાહન ચાલકો સહિત આમ પ્રજાજનોમાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. ડીસા પંથકમાં સાંજના સુમારે ધુળભરી આંધી જાેવા મળી હતી હવામાન નિષ્ણાતો ના મતે ૨૮ મે સુધી જીલ્લામાં ૨૦ થી ૪૦ કીમી ની ઝડપે પવન ફુકાશે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૨૮૦અને ૨૯ મે ના રોજ જીલ્લામાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૧૮ કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ધુળની ડમરીઓ ઉડતાં લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે અને જીલ્લામાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.
ભારે પવનને લઇ જનજીવન પર અસર
સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં એકાએક આવેલા વાતાવરણના પલટાના કારણે ભારે પવનના કારણે આંધી વંટોળિયુ વાતાવરણ સર્જાતા જનજીવન પર વ્યાપક અસર જાેવા મળી હતી. જાે કે પવનના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે પરંતુ ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે એક બાજુ ઉનાળુ સીઝન લેવા ની કામગીરી ચાલુ છે તેવા સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો નો જીવ તાળવે ચોંટયો છે.
વાતાવરણમાં દર્દીઓની પણ મુશ્કેલીઓ વધી
ધૂળ ભર્યું વાતાવરણના કારણે ગંભીર બિમારીઓમાં સપડાયેલા દર્દીઓની પણ મુશ્કેલીઓ વધી શકે છે. જેમાં ખાસ કરીને દમ શ્વાસ અને ટીબી જેવા રોગના દર્દીઓ માટે ધુળભર્યુ વાતાવરણ ખૂબ જ જાેખમકારક હોવાનું નિષ્ણાતો નો મત રહેલો છે.