હેબતપુરથી રામપુરાનો 7 કિ.મી. રોડ જર્જરિત, બે વાહનો સામ સામે આવે તો અકસ્માતની શક્યતા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મોટાભાગના રસ્તાઓ પહોળા થઈ ગયા છે પરંતુ હેબતપુરથી રામપુરાને જોડતો માર્ગ પાછલા કેટલાય વર્ષોથી જર્જરીત છે. આ માર્ગ પર બે વાહનો સામ સામે આવે તો અકસ્માતની શક્યતા તેમજ દબાણો સહિતના પ્રશ્ને ગામના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. અહીના હેબતપુર પીરોજપુરા ગામ પાસે દબાણો વધ્યા છે. જેનાલીધે સામ સામેથી બે વાહનો પસાર થવામાં મુશ્કેલી પડી રહે છે.

પાલનપુર દિલ્હી હાઇવે પર ચિત્રાસણી નજીક હેબતપુર ગામથી રામપુરા વચ્ચેના સાત કિલોમીટરનો માર્ગ પાછલા કેટલાય વર્ષોથી નવો બન્યો નથી. પાંચ જગ્યાએ જોખમી વળાંકો આવે છે, તેમજ વચ્ચે આવતા બે ત્રણ ગામોમાં રોડ સાઈડ પર જ દબાણો આચરાઈ ગયા છે જેને લઇ પાછલા કેટલાય સમયથી ગ્રામજનો અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ નગરોળ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા લેવાઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.