ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળામાં લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તા. ૨૩ સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તા.૨૯ સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમ ના મહામેળામાં લાખો માઇભક્તો દુરદુરથી ચાલતા આવે છે. આ વર્ષે પણ લાખો શ્રધ્ધાળુઓ દુરદુરથી અંબાજી આવી રહ્યા છે. બનાસકાંઠા કલેકટર કમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણકુમાર બરનવાલની સુચના અને માર્ગ દર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. દાંતા-અંબાજી તરફના રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી એસ.ટી.બસોની સુવિધાઓ જાેઇને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે.

અંબાજી ભાદરવી મહામેળામાં ચાલતા લાખો માઇભક્તો
અંબાજી મંદિરની વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી માઇભક્તો ધન્ય બની રહ્યા છે. તા.૨૯ સપ્ટેમ્બર પૂનમનો દિવસ ભાદરવા મેળાનો છેલ્લો દિવસ છે. આ દિવસે નિયમિત પૂનમ ભરતા શ્રધ્ધાળુઓ પણ સારી સંખ્યામાં ઉમટવાની ધારણા છે.રોશની અને લાઇટીંગથી અંબાજી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યાઅંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજી નગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થસ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે.

અંબાજી મંદિરનો ભંડારો છલકાયો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માનવમહેરામણ ઉમટી રહ્યું છે. આ શ્રદ્ધાળુઓ થકી અંબાજી મંદિર માં દાનભેટની કુલ રકમ રૂ.૧.૧૨ કરોડ સુધી આવી ગઈ છે. જ્યારે ચાર દિવસમાં ૧૬ ગ્રામ સોનુ દાનમાં આવ્યું છે. ૯.૩૭ લાખ પ્રસાદના પેકેટનું વેચાણ થયું છે. જ્યારે હજી મોટું માનવ મહેરામણ અંબાજીને સાંકળતા માર્ગો ઉપર ધસમસતું જાેવા મળી રહ્યું છે અને અંબાજીથી દાંતા ૨૦ કિલોમીટર લાંબી માનવસાંકળ દર્શનાર્થીઓની જાેવા મળી રહી છે. એટલું જ નહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા આખડી પુરી કરવા અંબાજી જતા નજરે પડ્યા હતા.

મેળામાં જિલ્લા માહિતી કચેરીપાલનપુરની માનવતા મહેંકી ઉઠી

અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી હતી. તા. ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલા અંબાજીના મેળામાં પ્રચાર-પ્રસાર અને મીડિયા મેનેજમેન્ટની વિશેષ જવાબદારી નિભાવી રહેલું માહિતી ખાતું માનવીય અભિગમ સાથે રાઉન્ડ ધ કલોક મેળાનું વિશેષ કવરેજ કરી રહ્યું છે.મેળાના ચોથા દિવસે આજે તા.૨૭મી સપ્ટેમ્બરે માહિતીની ટીમ ત્રિશૂળીયા ઘાટ બાજુ પગપાળા સંઘોનું કવરેજ કરી રહી હતી. ત્યારે પાંછા નજીક એક વ્યક્તિ રસ્તા પર દર્દથી કણસી રહેલ નજરે પડ્યો હતો. આ વ્યક્તિની હાલત જાેતા પાલન પુર માહિતી કચેરીના માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયકે તરત આ વ્યક્તિની ખબર પૂછી તો તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હોવાની હકીકત જાણી હતી. પાલનપુરથી મેળામાં પગપાળા આવેલ શંકરભાઈ મોહનલાલ સલાટ (ઉ.વ,૨૨)ને છાતીમાં દુખાવો, મુંઝવણ અને ગભરામણથી તબિયત બગડી હતી. શંકરભાઈની તબિયત લથડતી જાેઈ માહિતીની ટીમ તેમની ગાડીમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ અને તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. માહિતી કચેરીની કામગીરીને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ ન્ટ વાય.કે.મકવાણા સહિત સ્ટાફે પણ બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.