કાંકરેજના શિહોરી ગામમાં ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ હોવાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

 

 

 

કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે ભરચક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દાદી પૌત્રની ધોળા દિવસે હત્યા થતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. દાદી પૌત્રના મૃતદેહ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ હત્યા કોણે અને કેમ કરી તે તમામ માહિતી પોલીસ તપાસ બાદ જાણી શકાશે. હાલમાં પોલીસે હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.