વાવના અરજણપુરા ગામે ગેસનો બાટલો ફાટતા ઘરવખરી બળીને ભસ્મીભૂત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : વાવ તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલા અરજણ પુરા ગામે રહેતા નાઈ પીરાભાઈ લગધીરભાઈના ખેતરના રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ઘરમાં પડેલ તમામ સામન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ બાબતની જાણ અરજણપુરા સરપંચને થતાં સરપંચ સહીત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લઈ લીધી હતી.અને જવાબદાર તંત્રને જાણ કરી હતી. જાેકે એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગતા ઘરવખરી સહીત તમામ મુદ્દામાલ બળીને ભસ્મીભૂત થઈ જતાં ગરીબ પરિવાર ઉપર એક આફત આવી પડી છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે સર્વે કરી નોંધ લઈ આ ગરીબ પરિવારને સહાયનું ચુકવણું કરે તેવી પીડીત પરિવારની માંગ છે. આગના બનાવથી બીજાે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સરપંચ તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આગને કાબુમાં લેવાઈ હતી અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.