બનાસકાંઠાના ખેડૂતોએ જીલ્લાના પ્રશ્નો અંગે કલેક્ટરને આપ્યુ લાંબુ લિસ્ટ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, ગુજરાતના ખેડૂતોના હવે કોઇ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો બાકી નથી રહ્યો. જેની સામે ખફા બનાસકાંઠાના ખેડૂતો દ્વારા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો તૈયાર કરી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનથી ભારતીય કિસાન સંઘ નારાજ થયો છે. અને મુખ્યમંત્રીએ કરેલા નિવેદન કર્યું હતું કે, ખેડૂતોના કોઈ પ્રશ્ન જ નથી. જેને લઇને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેથી બનાસકાંઠા ભારતીય કિસાન સંઘે દ્વારા જિલ્લાના ખેડુતોને પડતી તકલીફોનું લાંબુ લીસ્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને આવેદન સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ. અને ખેડૂતોએ કરેલા પ્રશ્નોનું લિસ્ટ મુખ્યમંત્રી સુધી પહોચાડવા રજુઆત કરવામાં આવી હતી.