દાંતીવાડા અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સફાઇના અભાવે ખેડૂતો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા
દાંતીવાડા તાલુકાની ડેમની બેદરકારીના કારણે કેનાલ ખંડેર હાલત બનીજવા પામી છે. નોંદોત્રા ગામથી વાસડા સુધીની માઇનોર કેનાલ પસાર થઇ રહી છે. વડોદરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની મરામત માં તને સફાઇના અભાવે શિયાળુ વાવેતર કેવી રીતે કરવું તેની ચિંતા ખેડૂતોમાં સતાવી રહી છે.

દાંતીવાડા ડેમની મેઈન કેનાલથી નીકળી વાસડા સુધી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પાણી ખેડૂતો ગામના ખેડૂતોને મળી રહ્યો છે. કેટલી જગ્યાએ ખેતરના લેવલની ખૂબ જ ઊંડી બનાવવામાં આવેલી હોવાના કારણે તેમજ હાલમાં તો ખરા માટીના તેમજ કેટલી જગ્યાએ તૂટેલી હાલતમાં નજરે પડી રહી છે પરંતુ દાંતીવાડા ડેમના સત્તાધીશોને સરકાર દ્વારા લાખો રૂપિયા દર વર્ષે સાફ સફાઈ માટે ફાળવવામાં આવતા હોય છે. પરંતુ મેઈન કેનાલ પાણી છોડીને માઈનોર કમાન્ડ એરિયામાં રામ ભરોસે સફાઇ મરામત વગર ચાલુ કરી દેવામાં આવતું હોય છે અને આંખોમાં પાણી અને મનમાં દુખની વેદના લઈને જાણે આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

હાલમાં શિયાળુ વાવેતરમાં બટાકાની વાવણી મોટી માત્રામાં અને ખાસ પાક ગણવામાં આવે છે. પરંતુ હાલમાં સાધારણ ખેડૂત ખરીફ પાકમાં નુકશાન થાય તો બટાકાનું વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિ છે. હાલમાં બટાકાના ૫૦ કિલોના એક કટ્ટા બેગની કીમત ૧૫૦૦ થી ૨૦૦૦ સુધીના છે. જે સાધારણ અને નાના ખેડૂતો માટે બટાકાના બિયારણની ખરીદી કરવી ઘણી મુશ્કેલી છે.
હાલમાં આર્થિક મંદી વચ્ચે ખેડૂતોને આર્થિક તકલીફોનો દોર યથાવત્‌ છે ત્યારે કમોસમી વરસાદથી જૂની કહેવત જેવી હાલત છે. વર્તમાન પરિસ્થિતિ પડ્યા ઉપર પાટુ સામાન ખેડૂત માટે બની ચૂક્યું છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.