ત્રણ અઠવાડિયાના લોકડાઉન બાદ આજથી ધાનેરા શહેરની દુકાન અને બજારો ખુલશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકામા થોડાક સ્તરે હાલત સુધારવા પર છે. જે કોવિડની હોસ્પિટલમા સારવાર માટે રાહ જાેવી પડતી હતી. એજ હોસ્પિટલમા આવતા દર્દીઓની સખ્યામા આજે થોડાક અંશે ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના જાગૃત ગામોએ સ્વંયભુ લોકડાઉન કર્યું હતું. જેના પરિણામે કોરોના કેસોમા થોડોક ઘટાડો જાેવા મળી રહ્યો છે. ધાનેરા શહેર આજે ખુલવા જઈ રહ્યું છે.જાે સાવધાની અને નિયમોનું પાલન નહિ થાય તો ફરીથી પરિસ્થિતિ વિકટ બને તેમ છે. ધાનેરા શહેર ઉપરાંત ગામડામા કોરોના પોઝીટીવ કેસો વધુ પ્રમાણમા જાેવા મળ્યા છે. કોઈ એક ગામમાંથી એક સાથે ૧૦ જેટલા દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર માટે આવે તો ફરીથી બેડ તેમજ ઓક્સિજન માટે રઝળવું પડે તેમ છે.ધાનેરાના જાણીતા તબીબ ડો. ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થવા આવતા દર્દીઓની સાથે વધુ લોકોએ આવવું ઘાતક છે. સીઆરપી લેવલ કોવિડની સાથે શરીરના અન્ય ઇન્ફેક્શનની જાણ કરે છે જેથી જાતે ર્નિણય લીધા વગર તબીબની સલાહ લઈ ઘરે બેઠા પણ સારવાર લઈ શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.