કરજાેડા ગામ નજીક ટ્રેનમાંથી પટકાયેલા અજાણ્યા ઇસમનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર થી કરજાેડા જતી રેલવે લાઈન પર પસાર થઈ રહેલી કોઈ ટ્રેનમાં સવાર કોઈ અજાણ્યો મુસાફર ચાલુ ટ્રેન માંથી પટકાતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આ અજાણ્યા ઇસમનું મોત થયું છે. જેને લઈ રેલવે પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી મૃતકની ઓખળવીધી કરવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર-આબુરોડ રેલવે લાઈન કરજાેડા ગામ નજીક પસાર થઈ રહેલી કોઈ ટ્રેનમાં સવાર અજાણ્યો ઇસમ ઇલેક્ટ્રીક થાંભલા નજીક ચાલુ ટ્રેનમાં નીચે પટકાતા તેને માથા તેમજ શરીર ના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતાંજ પાલનપુર રેલવે પોલીસ ની ટિમ દોડી આવી હતી. અને ૪૫ વર્ષિય અજાણ્યા મૃતકની તપાસ કરતા તેની પાસે થી આબુરોડ થી સાબરમતી સુધી ની જનરલ કોચ ની ટીકીટ મળી આવી હતી. જેને લઈ લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં મોકલી આપી મૃતક અને તેના વાલી વારસો કોણ છે એ અંગે ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.