દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ કામગીરીથી કેબિનેટ મંત્રી માહિતગાર થયા
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આમ મંત્રી બન્યા બાદ પ્રથમવાર રાઘવજી પટેલ કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યાં હતા. કૃષિ વિભાગોમાં ચાલતી કામગીરી અંગે માહિતગાર થયા હતા. તેઓએ સાંસદ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. કૃષિમંત્રીએ સૌ પ્રથમ પાલનપુરના એસબીપુરા ખાતે આવેલા ગુરુ કેટલફીડ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ યુનિવર્સિટી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિવિધ વિભાગોની મુલાકાત લઈ જાતનિરીક્ષણ કર્યું હતું.