પશુપાલકોને ડામ : સૂકા ઘાસચારામાં રૂ.પાંચનો વધારો
બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ફાલ્યોફુલ્યો છે. બનાસડેરી થકી અનેક પશુપાલકો પોતાના દૂધના વ્યવસાય સાથે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે પશુઓ નિર્વાહ માટે ઘાસચારાની ખૂબ જ મોટી માંગ રહેતી હોય છે. જેથી કરી બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાનું પણ દર સિઝને મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. આ વર્ષે સૂકા ઘાસચારાનો ભાવ રૂ. ૨૦થી ૨૨ સુધી આંબી ગયો છે.જેના કારણે બારેમાસ લીલો ઘાસચારો મળી રહેતો હોય છે પરંતુ લીલા ઘાસચારાની સાથે સૂકા ઘાસચારાની ખૂબ જ જરૂર રહેતી હોય છે ત્યારે ઉનાળુ બાજરીના સુકા ઘાસચારાની બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી માંગ રહેતી હોય છે જેને લઇ અત્યારે ઠેર-ઠેર બાજરીના સૂકા ઘાસચારાનો સંગ્રહ થઇ રહ્યો છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં બાજરી નું આ વર્ષે ૧૬૬૦૮૨ હેક્ટરમાં વાવેતર થયું હતું
બાજરીના ઓછા ભાવ વચ્ચે સુકા ઘાસચારામાંથી ખેડૂતોને સારું વળતર મળતું હોય છે
આજની મોંઘવારીમાં બાજરીના ઓછા ભાવ થી ખેડૂતોને નુકસાન થતું હોય છે પરંતુ સૂકા ઘાસચારામાંથી ખેડૂતોને સારું વળતર મળી રહેતા બાજરી નો પાક ખેડૂતોને સારી કમાણી કરી આપે છે.
પશુપાલકો ૧ વર્ષ સુધી સુકા ઘાસચારાનો સંગ્રહ થઇ શકે તે રીતે વ્યવસ્થિત રાખે છે
આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સૂકો ઘાસચારો બગડે તે માટે પશુપાલકો દ્વારા સૂકા ઘાસચારાને વ્યવસ્થિત રીતે રાખવાની સગવડ કરે છે
ગત વર્ષ કરતા આ વર્ષે પૂળાના ભાવમાં વધારો થયો
ખેડૂતો દ્વારા ઉનાળાની સિઝનમાં બાજરીની સાથે અન્ય પાકોનું વાવેતર કરવા લાગતા બાજરીના વાવેતરમાં ઘટાડો થઇ રહ્યો છે જેથી કરી બાજરીના સૂકા ઘાસચારા ના ભાવ પણ દર વર્ષે વધારો થતો હોય છે જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે બાજરીના પુળા નો ૨ થી ૪ રૂપિયા સુધીનો ભાવ વધ્યો છે.