અમીરગઢનું ડાભચતરા ગામ વર્ષો બાદ પણ પણ પાકા માર્ગથી વંચિત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકાના અંતરીયાળ વિસ્તારના અનેક ગામમાં વિકાસની ગુલબાંગો વચ્ચે આઝાદીના દાયકાઓ વિતી જવા બાદ પણ ગામમાં જવાના પાકા રોડ ન બનતા ગ્રામજનો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. જેમાં વિરમપુર નજીક આવેલ ડાભચતરા ગામને જાેડતો રસ્તો ન હોવાના કારણે બીમાર વ્યક્તિ તેમજ ડિલેવરી સમયે પ્રસૂતાને ખાટલા પર સુવાડીને દવાખાને લઇ જવા ની ફરજ પડી રહી છે. જાેકે, ગામમાં રોડ કે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો દોઢ કિલોમીટર પગદંડી ઉપર તેમજ ચાર કિલોમીટર ચાલીને ગામમાં જવા -આવવા મજબૂર બનવું પડી રહ્યું હોઇ સરકાર દ્વારા ગામને જાેડતો રોડ બનાવવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ છે. અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક આવેલા ડાભચતરા ગામમાં આઝાદીના સાડા સાત દાયકાઓ બાદ પણ ગામમાં જવાનો રોડ નથી બન્યો. જાેકે, ગામને જાેડતો રોડ ન હોવાને કારણે ગામ લોકોને દોઢ કિલોમીટર સુધી ડુંગરાળ પ્રદેશમાં પગદંડી ઉપર અને ચાર કિલોમીટર ઉબડ ખાબડ તૂટેલા અને ઢોળાવ વાળા રસ્તા ઉપર ચાલીને ગામમાં જવું પડે છે. ચારથી પાંચ હજાર વસ્તી ધરાવતા આ ગામમાં રોડ ના અભાવે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય કે કોઈ મહિલાને ડિલિવરી હોય તો તેને ખાટલા ઉપર સુવાડીને લોકો દોઢ કિલોમીટર પગ દંડી ઉપર ચાલીને ત્યાર બાદ ચાર કિલોમીટર સુધી ચાલતા લઈ જવાની ફરજ પડી રહી છે. જાેકે, કેટલીક વાર તાત્કાલિક સારવાર ન મળવા થી પ્રસુતા મહિલા ઓના ડિલિવરી સમયે મોત નિપજવા ના બનાવો પણ બન્યા છે.
જાેકે, ડાભચતરા ગામમાં રોડ ની સાથે પીવાના પાણીની અને આરોગ્યની પણ સમસ્યા છે. જેમાં રોડ ના હોય નાના બાળકોને પણ શાળાઓ જવા આવવા માં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે ગામને જાેડતો પાકો રસ્તો પાણી તેમજ આરોગ્યની સુવિધી પૂરી પાડવા માં નહિ આવે તો આવનારી ચૂંટણી નો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.