ખેડૂત વિરોધી કાયદો રદ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસના ધરણાં

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કેન્દ્રની ભાજપ સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને રદ કરવાની માંગ સાથે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જેમાં ધરણાં ઉપર બેઠેલ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
દિલ્હીમાં ખેડૂતોના આંદોલન ના સમર્થનમાં બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં પાલનપુર કલેકટર કચેરી બહાર ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં કોંગ્રેસી કાર્યકરોઓ દ્વારા સરકાર વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યો હતા. ત્યારે પોલીસ દ્વારા સ્થળ ઉપર આવી ધરણાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના અંદાજે ૨૦ ઉપરાંતના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જાેકે, ધરણાંમાં કોંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરીને પગલે કાર્યક્રમ માત્ર પ્રતિકાત્મક બની રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.