બનાસ નદીને ભગવાને વહેતી કરી રાજકારણીઓએ નહીં,સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં રાજકીય આગેવાનો દ્વારા કરાયેલા દાંતીવાડા ડેમ અને બનાસ નદીના પાણીના વધામણાં બાબતે ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે. જેની સામે માલગઢ, આખોલ, જાેરાપુરા સહિતના ખેડૂતોએ પણ પાણીના વધામણાં કર્યાં હતા. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ બુધવારના દિવસે ભરાઇ જતાં ડેમના ચાર દરવાજા ખોલાયા હતા અને ઉપરવાસમાંથી આવતું સપાટીથી વધારાનું પ
ાણી બનાસ નદીમાં છોડાયું હતું. દાંતીવાડા ડેમ ભરાઇ જતાં રાજકીય આગેવાનો દ્વારા દાંતીવાડા ડેમના પાણીના વધામણા કરાયા હતા અને જે બાદમાં બીજાં દિવસે ડીસા પહોંચેલા બનાસ નદીના પાણીના પણ ડીસા ખાતે વધામણાં કરાયા હતા. ત્યારે રાજકીય આગેવાનો દ્વારા કરાયેલા પાણીના વધામણાં બાબતે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી હતી અને ખેડૂતોએ પાણી કોઈ રાજકારણીઓ દ્વારા નઈ પણ ભગવાને ખેડૂત મરતો હતો એટલે આપ્યું હોવાનું વિડીઓમાં જણાવાયું હતું અને સાથે સાથે ખેડૂતોએ ભગવાનના શિવના દર્શન કરી ભગવાન શિવને નેજુ એટલેકે ધજા ચડાવી હતી અને બાદમા ખેડૂતો દ્વારા બનાસ નદીના વધામણાં કરાયા હતા. જે બાબતનો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીઓમાં સ્પષ્ટ ખેડૂતોમાં રાજકીય વખાવોનો વિરુદ્ધ જાેવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.