અંબાજી ખાતે માતાજીની પુણ્યતિથિ નિમિત્તે આનંદ ગરબાના પાઠનું આયોજન કરાયું
ગતરોજ ગબ્બર ગઢની સામે આવેલું ચુંદડીવાળા માતાજીનું સમાધિસ્થાન ખાતે ચુંદડીવાળા માતાજીની ત્રીજી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. ત્રણ વર્ષ અગાઉ ચુંદડીવાળા માતાજી દેવલોક થઈ ગયા હતા. તે નિમિત્તે દર વર્ષે તેમને પુણ્યતિથિ નિમિત્તે આનંદ ગરબાના પાઠ, ભક્તજનોનો ભંડારો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો ચુંદડીવાળા માતાજીના મંદિર ખાતે રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં તેમના સેવકો ભક્તો આ દિવસે મંદિર ખાતે ઉપસ્થિત રહે છે. માતાજીની ભક્તિમાં લીન થઈ ગુણગાન ગાતા હોય છે.