અંબાજી ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આ વખતે પણ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમનો મેળો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અંબાજી મંદિરને લેખિત પરિપત્ર દ્વારા તા.રપ સપ્ટેમ્બર સુધી મેળો બંધ રાખવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પગપાળા સંઘોને પણ મંજુરી નહીં આપવા સુચન કર્યુ છે. જેને બાધા આખડી હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવા સુચના અપાઈ છે.