ખારિયા નજીક નર્મદા નહેરના સાઈફનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર
રખેવાળ ન્યુઝ થરા : કાંકરેજ તાલુકામાં ઓઢા -રાણકપુર ગામ વચ્ચે ખારિયા ગામ પાસેના નર્મદા નહેરના સાયફનમાંથી ગઇકાલે એક અજાણી મહિલાની કોહવાઇ ગયેલી લાશ તરતી મળી આવતાં લોકોના ટોળેટોળાં એકત્રિત થયાં હતાં. આ વાતની જાણ થરા પોલીસને થતાં થરા પી.એસઆઈ. એમ.બી.દેવડા પોલીસ સ્ટાફ સાથે ખારિયા સાયફનને પહોંચી મહિલાના મૃતદેહને સ્થાનિક માણસોની મદદથી બહાર કાઢી થરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મહિલાની લાશ ઘણા દિવસથી પાણીમાં પડી હોવાથી તે કોહવાઈ જવાથી તેની ઓળખ થવી મુશ્કેલ થઈ પડ્યું છે. આ મહિલાએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધી છે એ ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. વધુ તપાસ થરા પોલીસ કરી
રહી છે.