ડીસામાં માસૂમ ‘નિર્ભયા’ને શ્રધાંજલિ આપવા શોકસભા તેમજ કેન્ડલમાર્ચ યોજાઈ
ડીસામાં મુકબધીર અને માસૂમ બાળાનું બે દિવસ અગાઉ અપરહણ કરી દુષ્કર્મ આચર્યા બાદ તેની કરપીણ હત્યા મામલે સમગ્ર ડીસા સહિત જીલાભરમાં હાહાકાર મચી ગયો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આવા વિકૃત માનસ ધરાવતા અપરાધીને સજાના ભાગ રૂપે ફાંસી આપવામાં આવે તેવી ઉગ્રમાંગ સાથે રવિવારે સાંજે ડીસાના સાંઈબાબા સર્કલ આગળ ડીસાના તમામ નાગરિકો દ્વારા એક શોકસભા અને કેન્ડલમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસુમ બાળાને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.