છેલ્લા ૨૦ વર્ષથી નવરાત્રિમાં એક પગે ઉભા રહીને વિશેષ સાધના

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતની આગવી ઓળખ અને શક્તિ અને ભક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે પણ બનાસકાંઠામાં એક એવા સાધક છે કે જે નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ ની સાથે એક પગે ઉભા રહી માં ની કઠિન સાધના કરે છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો સુરેશ ચૌહાણ છેલ્લા ૨૦ વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગે ઉભા રહીને વિશેષ સાધના કરે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે ઉભા રહીને કરાતી સાધના માં છેલ્લા ૨૦ એક વર્ષથી આ યુવકનો સમગ્ર પરિવાર તેની સેવામાં અવિરત કાર્યરત રહે છે. સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર દોરડાના સહારે ,પાણી અને ચા પી સતત માળા જપે છે. દોરડાના હિંચકા પર જ સુવાનું કે આરામ કરવાનો બસ માં ના નામનું રટણ કરતા કોઈ અનોખી શક્તિ થી આ બધું શક્ય હોય તેમ તેઓ જણાવે છે. દર વર્ષે જ્યારે એક પગે સાધના કરતા સુરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ રાખીને વીસેક વર્ષથી શક્તિની સેવા કરીને શરીરને કષ્ટ આપીને મારા કુટુંબ,પરિવાર, ગામ અને વિશ્વ ના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છુ. જાે કે ૨૦ એક વર્ષથી એક પગે ઉભા રહીને અખંડ સાધના કરતા યુવક માટે આવનાર સમયમાં પણ માની આરાધના આ રીતે જ અવિરત પણે ચાલુ રાખવાની ખેવના રાખે છે. જ્યારે સુરેશ ચૌહાણ જેવા મા જગત જનનીના સાધકો આજે પણ આ આધુનિકતાથી પર રહીને એક પગે ઉભા રહીને અખંડ સાધના કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.