પાલનપુર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યઓએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યઓએ ચોમાસામાં તુટી ગયેલ અને ખાડા પડેલ રસ્તાઓની મરામત, રસ્તાઓની બંને સાઇડમાં બાવળ કટીંગ કરવા, નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ પુરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ, નર્મદા કેનાલમાં પાણી છોડવા તથા જેટકોને લગતા પ્રશ્નો પૂછીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સરકારી વિભાગો વચ્ચેના સંકલનને સુદ્રઢ બનાવી જલ્દી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્યો કેશાજી ચૌહાણ, અનિકેતભાઇ ઠાકર, પ્રવિણભાઇ માળી, માવજીભાઇ દેસાઇ, ગેનીબેન ઠાકોર, કાંતિભાઇ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસ્લે, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક ર્ડા.કુશલ ઓઝા, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.