બનાસકાંઠામાં કોરોનાના વધુ ૪૩ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં દીપાવલીના તહેવારો ટાણે કોરોના ઘાતક બનતા કોરોના વિસ્ફોટ થયો હતો. જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં ૨૦૦ કેસ નોંધાતા ખુદ આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું હતું. ત્યારે શુક્રવારે કોરોનાના વધુ ૪૩ પોઝેટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૯૬૩ એ પહોંચી છે.
બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ ૪૩ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં ૧૯, વેપારી મથક ડીસામાં ૦૪, દાંતામાં ૦૧, વડગામમાં ૦૧, ધાનેરામાં ૦૩, કાંકરેજમાં ૦૧, થરાદમાં ૦૧, વાવમાં ૦૨, ભાભરમાં ૦૧ અને પ્રાઇવેટમાં સંકલ્પમાં ૦૫ તથા આદર્શ માં ૦૫ મળી કુલ ૪૩ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, કુલ ૧૦૯૩ સેમ્પલમાં થી ૪૩ કેસ પોઝેટિવ આવ્યા હતા.