અંબાજીના મેળા દરમ્યાન ૩ લાખ ૬૦ હજાર કીલો પ્રસાદ બનાવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પુનમનો મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વખતે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં યા૬કો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે એટલુજ નહી અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં મોહનથાળના પ્રસાદની મોટી માંગ રહેતી હોય છે તે માંગને પહોંચી વળવા તંત્ર દ્વારા પ્રસાદની આગોતરું આયોજન કરી પૂરતા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહીં પણ લાખો કિલોની માત્રામાં પ્રસાદ બનાવની રોજિંદી કામગીરી શરુ કરી છે. અહીંયા એક દિવસ માં અંદાજિત ૨૦૦ ગાણ માં ૩૫૦૦ કિલો પ્રસાદ બનાવામાં આવે છે ને સમગ્ર ને સમગ્ર મેળા દરમ્યાન ૩ લાખ ૬૦ હજાર કીલો પ્રસાદ બનાવાશે. તેના ત્રણ પ્રકારના ૪૦ લાખ જેટલા પેકેટ તૈયાર કરવા માં આવશે જેના માટે કારીગરો સાથે ૪૦૦ ઉપરાંત મજુરો સતત કામગ કરી રહ્યા છે ને ખાસ કરી ને શુધ્ધ અને ગુણવત્તા સભર પ્રસાદ મળી રહે તેમાટે ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે ૧૭૫ હજાર કીલો ખાંડ, ૧૦૦ હજાર કીલો બેસણ, ૭ હજાર શુધ્ધ ઘીના ડબા તથા ૨૦૦ કીલો ઈલાઈચી નો ઉપયોગ કરાશે એટલુંજ નહીં મોટી સંખ્યા માં યાત્રિકો આવતા હોવાથી પ્રસાદ વિતરણ માટે અલગ અલગ નવ જેટલા વધારાના સ્ટોલો પણ ઉભા કરવામાં આવશે જ્યારે ફરાળી ચીકીના ૩ લાખ જેટલા પ્રસાદની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.