બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 199 કેસ, 2નાં મોત,171 દર્દી સાજા થતાં રજા અપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 199 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે સંક્રમિત દર્દીઓ પૈકી 2ના મોત નિપજ્યાં હતા. 171 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. અને 658 લોકોએ કોરોના સામે રક્ષણ માટે રસી મુકાવી હતી.કોરોના સંક્રમણ હજુ પણ વધી રહ્યું છે ત્યારે લોકો પણ સોશિયલ ડિસ્ટન્ટ રાખતા નથી.જેથી ચેઇન તૂટતી નથી.બનાસકાંઠા જિલ્લામાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે સોમવારે વધુ 199 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સૌથી વધારે પાલનપુરમાં 86, ડીસા 81, લાખણી 13, થરાદ 7, ધાનેરા 4, અમીરગઢ 3, વાવ 2 અને દાંતીવાડામાં 2 દર્દીઓ પોઝિટીવ આવ્યા હતા. દરમિયાન કોરોના સંક્રમિત 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. 171 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. તેમજ 658 લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી લીધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસો પૈકી પાલનપુરના 8 વર્ષના બે બાળકો પણ પોઝિટિવ આવ્યા હતા.વધતા જતા કેસોને લઈ તંત્રની પણ મુંઝવણ વધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.