થરાદમાં ગૌશાળામાં ૪૦ પશુઓને ખોરાકી ઝેરની અસર, ૨૦ ગાયોના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, થરાદ

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ભાભરની ગૌશાળામાં ૪૦ પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ૨૦ ગાયોને સારવાર આપી બચાવી લેવાઇ હતી. તો અન્ય ૨૦ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે ખોરાકી ઝેરની અસર થઇ હતી. જોકે આજે મૃત પશુઓને જેસીબીની મદદથી દફનાવવામાં આવ્યા હતા. જોકે ગૌશાળા સંચાલક અને ગોવાળની બેદરકારીથી મોત થયા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ભાભર ગામે આવેલી ગૌશાળામાં ગઇકાલે ૪૦ પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. પ્રાથમિક તપાસમાં તમામ પશુઓને એરંડા ખાતા તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેને કારણે ૨૦ ગાયોના મોત થયા હતા. તો આ તરફ સારવાર આપી ૨૦ ગાયોને બચાવી લેવામાં આવી હતી. ગૌશાળા સંચાલક અને ગોવાળની બેદરકારીને કારણે પશુઓના મોત થયા હોવાના આક્ષેપો થયા છે. આજે જેસીબી મશીનની મદદથી ૨૦ગાયોને દફનાવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.