અંબાજીમાં વન વિભાગે ગુગળ તરીકે વેચાતા સલાઈ ગુંદરનો જથ્થો પકડી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : યાત્રાધામ અંબાજીમાં વન વિભાગ દ્વારા ગુગળ તરીકે વેચાતા સલાઈ ગુંદરના જથ્થો પકડી પાડતા ગૂગળના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અંબાજી ઉત્તર રેન્જના આરએફઓને મળેલી બાતમીના આધારે ડીએફઓ ડો.અન્શુમાન શર્માના માર્ગદર્શન હેઠળ કુંભારીયા વિસ્તારમાં રમેશ રાવળની માર્બલ આર્ટીકલની દુકાનમાં સલાઈ ગુંદર (ગુગળ) મોટા જથ્થામાં રખાય હોવાની હકીકત મળી હતી.જેના આધારે વન વિભાગ ના તમામ કર્મચારીઓ સાથે રેઈડ કરતા સલાઈ ગુંદરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.એક હજાર ત્રણસો કિલો જેટલો જથ્થો પાડવામાં અંબાજી વન વિભાગને સફળતા મળી હતી.પકડાયેલા આ સલાઈ ગુંદરની કિંમત ત્રણ લાખ ઉપરાંતનો આ ગુગળનો જથ્થો અંબાજી વન વિભાગે પકડી પાડ્‌યો હતો. આ સલાઈ ગુંદર અંબાજીમાં ગુગળના નામે વેચાતો હોય છે.આ ગુંદરના જથ્થો આ વેપારી પાસે કોઈ પણ જાતના આધાર પુરાવા કે જરૂરી કાગળો ન હોવાથી બિનઅધિકૃત જથ્થો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.