યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા

અરવલ્લી
અરવલ્લી

આજે ભાદરવા સુદ પૂનમ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભાદરવીનું અંબાજી જેટલું જ મહત્વ ભગવાન કાળિયા ઠાકોરનું છે. ત્યારે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ભગવાન શામળિયાની જાખી કરવા ઉમટી પડ્યા છે. આજના દિવસે ભગવાન શામળિયાનું ખાસ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને સોના આભૂષણો અને ખાસ તૈયાર કરાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આજે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોના ધસારાને ધ્યાને લઇ દરરોજ કરતા એક કલાક મંદિર વહેલું ખોલવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાનના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ખૂબ ભાવથી શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.